
મોંઘવારી અને બેરોજગારી સામે ઝઝૂમી રહેલા લોકો આવનારી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને જાકારો આપી કોંગ્રેસને જીત અપાવશે એવો દાવો કરનાર
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી દર્શન નાયકે કહ્યું કે, ભારતીય જનતા પાર્ટીના 27 વર્ષના શાસનમાં સામાન્ય લોકો સુધી કોઈ લાભ પહોંચ્યો નથી. માર્કેટિંગમાં સૌથી આગળ રહીને આ પાર્ટીએ જીત મેળવી છે. પરંતુ અમે સત્યની સાથે છીએ. હવે લોકો સમજી ગયા છે કે ભારતીય જનતા પાર્ટી અત્યાર સુધી બહુ મોટું જુઠ્ઠાણું ચલાવી રહી છે. ગામડાઓમાં ખેડૂતોની અનેક સમસ્યાઓ હોય, માલધારીઓની સમસ્યાઓ હોય, સરકાર હંમેશા નિષ્ક્રિય રહી છે. આજે આપણે સૌ કોંગ્રેસના કાર્યકરોએ ઓલપાડ વિધાનસભા મતવિસ્તારની મુલાકાત લીધી છે અને લોકોને પેમ્ફલેટનું વિતરણ કર્યું છે અને લોકો સુધી અમારો સંદેશ પહોંચાડવાનું શરૂ કર્યું છે.
જેના સંદર્ભમાં આજરોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી દર્શન ભાઈ નાયકની આગેવાની માં ઓલપાડ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા 155- ઓલપાડ વિધાનસભા માં સમાવિસ્ત સોદલામીઠા,કણભી અને એરથાણ ગામ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની સૂચના મુજબ રાહુલ ગાંધીજી ના ગુજરાત ની જનતાને આપેલા આઠ વચનોની પત્રિકાનું વિતરણ અને ડોર ટુ ડોર જનસંપર્ક કરવામાં આવ્યો .આ પ્રસંગે ઓલપાડ તાલુકા કૉંગ્રેસ સમિતિના પ્રમુખ જ્યેન્દ્રભાઈ દેસાઈ અને ખેડૂતો તથા યુવાનો સહિત મોટી સંખ્યામાં કૉંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા.








Total Users : 107
Total views : 206
Who's Online : 0