Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

પોલીસ કર્મચારીઓને ખાખી વર્દી માટે અપાતી સિલાઈના દરમાં વધારો કરાયો, મહિલા પોલીસ માટે પણ છૂટ-છાટ આપવામાં આવશે

Our Visitor

000113
Total Users : 113
Total views : 214
Who's Online : 0
Views 2822

પ્રતિકાત્મક તસ્વીર

ગુજરાત પોલીસ હવે અપગ્રેડ થવા જઈ રહ્યું છે. ત્યારે પોલીસ કર્મચારીઓના હિતમાં અનેક મોટા નિર્ણયો લેવાયા છે. વધતી જતી મોંઘવારીને ધ્યાનમાં રાખતા ગુજરાત પોલીસના કર્મચારીઓ માટે મહત્વની જાહેરાત કરવામાં આવી છે. જેમાં પોલીસ કર્મચારીઓને ખાખી વર્દી માટે અપાતી સિલાઈના દરમાં વધારો કરાયો છે. તો સાથે જ મહિલા પોલીસ કર્મચારીઓ માટે સગર્ભાવસ્થામાં ડ્યુટી દરમિયાન છૂટછાટની જાહેરાત કરાઈ છે.વર્દીના સિલાઈ દરમાં વધારો

રાજ્ય પોલીસમાં લોકરક્ષક સહિતના પોલીસ કર્મચારીઓને ખાખી વર્દી માટે સિલાઈ આપવાના દરમાં વધારો કરાયો છે. રાજ્ય પોલીસની ગણવેશ કમિટી દ્વારા લેવાયેલા નિર્ણય પ્રમાણે અગાઉ રૂપિયા 600 ચૂકવવામા આવતા હતા. હવે તેની જગ્યાએ 1,000 રૂપિયા સિલાઈ તરીકે અપાશે. વર્દીની સિલાઈ માટે રૂપિયા 400 નો આ વધારો વર્તમાન મોંઘવારીને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે. આ વધારાનો અમલ 2023- 24 થી કરવામાં આવશે.

તો બીજી તરફ, મહિલા પોલીસ કર્મચારીઓ માટે પોલીસ ગણવેશ કમિટીએ છુટછાટ આપી છે. મહિલા પોલીસ કર્મચારીઓને સગર્ભા અવસ્થા દરમિયાન ખાખી સલવાર કમીઝ અને સોલ્ડર બેઝ ઉપરની રેન્ક યુનિફોર્મ પહેરી શકાશે તેવી છૂટ અપાઈ.

તો સાથે જ, પોલીસને અપાતા એન્કલ શુઝ અને જંગલ શૂઝની જોગવાઈમાં પણ ફેરફાર કરાયો છે. પ્રથમ નિમણૂંક સમયે બે જોડી અને દર બે વર્ષે એક જોડી અપાશે. અગાઉ દર વર્ષે એક જોડી આપવામાં આવતા હતા, તેમાં ઘટાડો કરાયો છે. પોલીસને ઠંડીમાં રક્ષણ માટે દર પાંચ વર્ષે એક વુલન જર્સી આપવાનો પણ નિર્ણય લેવાયો છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

પોલીસ કર્મચારીઓને ખાખી વર્દી માટે અપાતી સિલાઈના દરમાં વધારો કરાયો, મહિલા પોલીસ માટે પણ છૂટ-છાટ આપવામાં આવશે

Related posts

ઓલપાડ કોંગ્રેસના બાહુબલી ઉમેદવાર દર્શન નાયકનો
પ્રચાર કરવા શંકરસિંહ વાઘેલાએ જંગી સભા સંબોધી,
છેલ્લા ૨૭ વર્ષથી ભારતીય જનતા પાર્ટી પ્રજાને ગેરમાર્ગે દોરી રહી છે, ગુજરાતમાં ૫૦ લાખ લોકો બેકાર છે : બાપુ

Phone: 9998685264.

ખુશ ખબર / સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી જવા માટે અમદાવાદ થી બ્રોડગેજ રેલ સેવા શરુ, રાજસ્થાન અપડાઉન કરતા યાત્રીઓ હવે અમદાવાદથી હિમ્મતનગર શામળાજી, ડુંગરપુર થઈ રાજસ્થાન ટ્રેન મારફતે જઈ શકશે

Phone: 9998685264.

ઐતિહાસિક / એકસાથે 25 ગુજરાતી અધિકારીઓ IPS બનશે! 14 સૌરાષ્ટ્રના તો 5 મહેસાણા જિલ્લાના હશે અધિકારીઓ, ટૂંક સમયમાં કરાશે ઓર્ડર!

Phone: 9998685264.

Leave a Comment