Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

દુઃખદ ઘટના /કરજણમાં ખેતરે પાણી વાળવા ગયેલા ખેડૂતનું વીજ શોક લાગતા મોત, તારની વાડ પર મૃતદેહ ચોંટેલો મળ્યો, પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી

Our Visitor

000115
Total Users : 115
Total views : 217
Who's Online : 0
Views 3794

News:કરજણના કંબોલા ગામમાં વીજ કરન્ટ લાગવાથી એક ખેડૂતનું મોત નીપજ્યાંની ઘટના બની છે. ખેતરમાં એરંડાના પાકને પાણી વાળવા માટે ગયેલા ખેડૂતને વીજ શોક લાગ્યો હતો. બનાવની જાણ થતાં અન્ય ખેડૂતો અને ગ્રામજનો પહોંચ્યા હતા અને બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી.પોલીસે ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, કરજણના કંબોલામાં રહેતા રાહુલ પટેલ ગામમાંજ ખેતર ધરાવે છે. એરંડાનો પાક લીધો હોવાથી રાહુલભાઈ ખેતરમાં પાણી વાળવા માટે ગયા હતા. એ સમયે તેમની બાજુમાંજ આવેલા ખેતર ધરાવતા મોતીભાઈ ગામીએ શેરડીના ખેતરની આસપાસ તારની વાડ પર કુવાની ઓરડીમાંથી વીજ કરન્ટ છોડ્યો હતો. એ સમયે ખેતરમાં પાણી વાળતા રાહુલાભાઈ તારની વાડને અડી જતાં તેમને કરન્ટ લાગ્યો હતો.

વીજ કરન્ટ લાગતાં જ રાહુલ પટેલનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. ખેતરમાં પાણી વાળવા ગયેલા રાહુલભાઈ ઘરે જમવા માટે ન આવતા પત્નીએ મોબાઈલ પર ફોન કર્યો હતો, પરંતુ ફોન રિસિવ ન થતાં તેમણે રાહુલભાઈના મિત્રને જાણ કરી હતી. રાહુલભાઈના મિત્ર ખતરે તપાસ કરવા આવ્યા ત્યારે રાહુલભાઈ ખેતરની તારની વાડને અડીને મૃત હાલતમાં જોવા મળ્યા હતા. બનવાની જાણ વીજ કંપની અને પોલીસને કરવામાં આવી હતી.

બનાવની જાણ થતાં જ વીજ કંપનીના અધિકારીઓ અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. વીજ કંપનીના અધિકારીઓએ બાજુના ખેતરના માલિક દ્વારા તારની વાડમાં છોડવામાં આવેલા વીજ કરન્ટનું કનેક્સન કાપી નાંખ્યું હતું અને પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

દુઃખદ ઘટના /કરજણમાં ખેતરે પાણી વાળવા ગયેલા ખેડૂતનું વીજ શોક લાગતા મોત, તારની વાડ પર મૃતદેહ ચોંટેલો મળ્યો, પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી

Related posts

સુરતમાં ફરી એક વખત વેપારી ઉપર જીવલેણ હુમલો, 4 અજાણ્યા સખશોએ મંડપના વેપારી ઉપર ધારદાર હથિયાર થી હુમલો કરી ફરાર, જુઓ સીસીટીવી

Phone: 9998685264.

અમદાવાદના વધુ બે લાંચિયા પોલીસ કોન્સ્ટેબલ લાંચ લેતા ACB ના હાથે ઝડપાયા, ફરિયાદી પાસેથી અરજીનો જવાબ લખાવા માંગ્યા હતા 5100 રૂપિયા

Phone: 9998685264.

સુરત સાયબર ક્રાઈમ પોલીસ ઉપર તોડ કર્યાનો આક્ષેપ, સૌરાષ્ટ્રના બે યુવાનોને ત્રણ દિવસ સુધી ગોંધી રાખ્યા, 5 લાખનો તોડ?

Phone: 9998685264.

Leave a Comment