
રીતેશ પરમાર
આજરોજ દેશના મહાન પુરૂષ અને બંધારણના ઘડવૈયા ડો. બાબા સાહેબ ભીમરાવ આંબેડકર સાહેબની 131 મી જન્મજયંતીનો શુભ અવસર સમગ્ર ભારત દેશમાં ખુબજ હર્ષોઉલ્લાસ સાથે ઉજવવામાં આવ્યો હતો. કોઈપણ વર્ગ કે કોઈપણ સમાજ હોય પણ જયારે ડો. બાબાસાહેબ આંબેડકરનું નામ આવે ત્યારે ભારત દેશનો દરેક નાગરીક ગૌરવ અનુભવે છે. જેથી આજના શુભ અવસર પર ઠેર ઠેર ભવ્ય ઉજવણી અને કાર્યકર્મો ઉજવવામાં આવ્યા હતા, તેમજ બાબા સાહેબ આંબેડકરને સાચા હૃદયથી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.
દેશના પ્રથમ કાયદા અને બંધારણના ઘડવૈયા અને મહાન વ્યક્તિત્વનું ઉદાહરણ એવા ડો. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની 131 જન્મજયંતિના શુભ અવસરના ભાગ રૂપે આજરોજ ગાંધીનગરના ડભોડા ખાતેના હોમગાર્ડ યુનિટ ખાતે બાબા સાહેબની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ શુભ અને પાવન કાર્યક્રમમાં ડભોડા ગામના માનનીય સરપંચ શ્રીના પુત્ર પૃથ્વીસિંહ,ડેપ્યુટી સરપંચના મોટાભાઈ અમરસિંહ,ડભોડા ગામના ઠાકોર સેનાના પ્રમુખ અજીતસિંહ, ડભોડા ગામના આગેવાન બળદેવભાઈ પરમાર, તેમજ ડભોડા ગામના હોમગાર્ડ યુનિટના રિટાયર્ડ ઇન્ચાર્જ ડી. એમ. પરમાર તેમજ ગામના વડીલો આગેવાનો અને યુવાનોએ મોટી સંખ્યામાં ભાગ લઇ આજરોજ બાબાસાહેબ આંબેડકરની 131 મી જન્મજયંતિના કાર્યક્રમને સફળ બનાવી ગૌરવની લાગણી અનુભવી હતી.





Total Users : 113
Total views : 214
Who's Online : 0