Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

છારાનગર પોલીસ દમન કેસ મામલો!
આજે મેટ્રો કોર્ટમાં પી.એસ. આઈ. ધીલ્લોન હાજર રહેતા કોર્ટે માંગ્યા જામીન:
IPS અશોક યાદવ ,સ્વેતા શ્રીમાળી સહિત, PI વિરાણી, PSI મોરીએ હાજર નહિ રહેવા રિપોર્ટ મોકલ્યો

Our Visitor

000113
Total Users : 113
Total views : 215
Who's Online : 0
Views 738

રીતેશ પરમાર ( ક્રાઈમ રીપોર્ટર )

અમદાવાદ તા.17

છારાનગર પોલીસ દમણ કેસમાં કોર્ટે સમન્સ જારી કરતા પી.એસ.આઇ ધીલ્લોન હાજર રહયા હતા ત્યારે આઈ. પી.એસ. અશોક યાદવ,સ્વેતા શ્રેમાળી અને પી આઇ. વિરાણી પી એસ આઈ મોરી અન્ય કોર્ટના કામમાં રોકાયેલા હોવાથી મુદ્દત મેળવવા અરજી આપી હતી. જ્યારે મેટ્રોકોર્ટના જજ એચ. બી.કાપડીયાએ ધીલ્લોનના 10 હજારના જામીન લઈ વધુ સુનાવણી 7મી એપ્રિલે મુલતવી રાખી છે.

ફાઈલ તસ્વીર

આ કેસની વિગત એવી છે કે,ગઈ તા.26 જુલાઈ 2018ના રોજ પી.એસ.આઈ ડી.કે.મોરીએ પોલીસમાં કંટ્રોલ મેસેજ કર્યો હતો કે છારાનગરમાં રેડ કરવા જતાં લોકોના ટોળાએ હુમલો કર્યો છે.ત્યારબાદ શહેર પોલીસનો કાફલો છારાનગરમાં આવી નિર્દોષ લોકોને ઘરમાંથી બહાર કાઢી માર માર્યો હતો.ઘરની બહાર પાર્ક કરેલા વાહનોની તોડફોડ કરી હતી.જેમાં સામાજિક કાર્યકર આતિષ ઇન્દ્રેકરને ગંભીર રીતે માર મારતા તેમણે એડવોકેટ જ્યેન્દ્ર અભવેકર મારફત મેટ્રો કોર્ટમાં ફરિયાદ કરી હતી.આરોપીઓમાં સેક્ટર 2ના જેસીપી અશોક યાદવ, ઝોન 4 સ્વેતા શ્રીમાળી,પી.આઈ. વિરાણી,પી.એસ આઇ. ડી.કે.મોરી,જે.જી.ધીલ્લોન સામે આક્ષેપ કરવામાં આવ્યા હતા.

ફાઈલ તસ્વીર

આ મામલે મેટ્રોકોર્ટના મેજિસ્ટ્રેટ બી.એચ. કાપડીયાએ પોલીસ સામે 197 નો બાધ નડતો નથી.તેમની ફરજ ઉપર જઇ ને કૃત્ય કર્યું છે.તમામની સામે ગુન્હો નોંધી સમન્સ જારી કર્યા હતા. આજ રોજ તમામ પોલીસ આરોપીઓને સમન્સની બજવણી થતા પી.એસ આઇ ધીલ્લોન હાજર રહ્યા હતા.કોર્ટે તેમના પાસે થી 10 હજારના જામીન લીધા હતા.અન્ય આરોપીઓ એ મુદ્દત રિપોર્ટ રજૂ કરી સમય ની માંગ કરી હતી.આ મામલે 7મી એપ્રિલે વધુ સુનાવણી હાથ ધરાશે.

Happy
Happy
67 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
33 %
Surprise
Surprise
0 %

છારાનગર પોલીસ દમન કેસ મામલો!<br>આજે મેટ્રો કોર્ટમાં પી.એસ. આઈ. ધીલ્લોન હાજર રહેતા કોર્ટે માંગ્યા જામીન:<br>IPS અશોક યાદવ ,સ્વેતા શ્રીમાળી સહિત, PI વિરાણી, PSI મોરીએ હાજર નહિ રહેવા રિપોર્ટ મોકલ્યો

Related posts

ઉના /બસ સ્ટેન્ડ ખાતે આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી 60 લાખથી વધુ રકમની લૂંટનો ચકચારી મામલો, પોલીસની તપાસમાં કોઈ જાણભેદું હોવાની શંકા

Phone: 9998685264.

1 લી જાન્યુઆરીથી સુરતથી અમદાવાદ, ભાવનગર રાજકોટ અને અમરેલી જવા માટે હવાઈ સેવાનો પ્રારંભ, ભાડું માત્ર 1999 રૂપિયા, 9 સીટર વિમાન કરાવશે મુસાફરી

Phone: 9998685264.

મહીસાગરના લુણાવાડામાં એસટી કર્મચારીને પ્રામાણિકતા થી ફરજ નિભાવવાનું ભારે પડ્યું, વગર ટિકિટ મુસાફરી કરતા મુસાફરને બસમાંથી નીચે ઉતારતા પોલીસકર્મીએ કંડક્ટરને ઢોર માર માર્યો

Phone: 9998685264.

Leave a Comment