Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનું 125 બેઠક જીતવાનું સંકલ્પ! કોંગ્રેસ કાર્યાલય ખાતે વિશેષ નિરીક્ષક અને પ્રભારિઓની મિટિંગ યોજાઈ, ઉમેદવારો કરી રહ્યા છે જોરદાર પ્રચાર, ઓલપાડમાં દર્શન નાયકની આગેવાનીમાં ડોર ટુ ડોર જનસંપર્ક કરાયો

Our Visitor

000113
Total Users : 113
Total views : 215
Who's Online : 0
Views 1519

વિધાનસભા ચૂંટણીમાં (Gujarat Election 2022) ૧૨૫ બેઠક જીતવાના સંકલ્પ સાથે એ.આઈ.સી.સી.ના વિશેષ નીરીક્ષક ટી.એસ. સિંહ દેવ અને મિલિન્દ દેવરાજીની ઉપસ્થિતીમાં એ.આઈ.સી.સી.ના લોકસભા પ્રભારી સાથે બેઠક કોંગ્રેસ (Gujarat Congress) કાર્યલાય ખાતે મળી હતી. ૨૦૨૨ ચૂંટણીમાં જનતાના અવાજ સાથે જનતાના મુદ્દાઓને લઈ જનભાગીદારીથી વિધાનસભા માટેનો ચૂંટણી ઢંઢેરો તૈયાર કરવામાં આવશે. વિધાનસભા બેઠક દિઠ અને પ્રદેશ કક્ષાએ કોમન ચૂંટણી ઢંઢેરો તૈયાર કરાશે.

ગુજરાતમાં આવનારી વિધાનસભાની ચૂંટણીને જીતવા તમામ રાજકીય પક્ષો પોતાની દાવેદારી મજબૂત કરતા નજરે પડી રહ્યા છે. હાલમાંજ કોંગ્રેસ સમિતિ દ્વારા પોતાના નિરીક્ષકોના નામ જાહેર કર્યા હતા.તો બીજીતરફ ભાજપ અને આમ આદમી પાર્ટી પણ પોતાના ઉમેદવારોની યાદી બહાર પાડી પોતાના પક્ષની મજબૂત જીત મેળવવાના મરણીયા પ્રયાસ કરી રહ્યા છે.

જેના સંદર્ભમાં આજરોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી દર્શન ભાઈ નાયકની આગેવાની માં ઓલપાડ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા 155- ઓલપાડ વિધાનસભા માં સમાવિસ્ત ઉમરા ,ગોથાણ અને સાયન ગામના પૂર્વ વિભાગમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની સૂચના મુજબ રાહુલ ગાંધીજી ના ગુજરાત ની જનતાને આપેલા આઠ વચનોની પત્રિકાનું વિતરણ અને ડોર ટુ ડોર જનસંપર્ક કરવામાં આવ્યો .આ પ્રસંગે ઓલપાડ તાલુકા કૉંગ્રેસ સમિતિના પ્રમુખ જ્યેન્દ્રભાઈ દેસાઈ અને યુવાનો સહિત કૉંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનું 125 બેઠક જીતવાનું સંકલ્પ! કોંગ્રેસ કાર્યાલય ખાતે વિશેષ નિરીક્ષક અને પ્રભારિઓની મિટિંગ યોજાઈ, ઉમેદવારો કરી રહ્યા છે જોરદાર પ્રચાર, ઓલપાડમાં દર્શન નાયકની આગેવાનીમાં ડોર ટુ ડોર જનસંપર્ક કરાયો

Related posts

વાનખેડે સ્ટેડિયમમાં સચિન તેંડુલકરની 14 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણસચિન તેંડુલકર માટે સન્માનની વાત

Phone: 9998685264.

યુએઈ મા રમાનાર ટી -20 વર્લ્ડકપ માટે બીસીસીઆઈ કરશે ટીમ ઇન્ડિયાની જાહેરાત, પાંચ જગ્યાઓ માટે 12 ખેલાડીઓ વચ્ચે ટક્કર,

Phone: 9998685264.

રાજ્યભરના યુવાનોના ઉજવળ ભવિષ્ય માટે ઉત્તમ તક, નોકરી હવે તમારા ઘર આંગણે,નરોડાના ધારાસભ્ય પાયલ કુકરાણીની અનોખી પહેલ

Phone: 9998685264.

Leave a Comment