Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

ગુજરાતમાં ભારે વરસાદને કારણે ૨૪ કલાકમાં ૮ લોકોના મોત ;૧૫ પશુઓ મોતને ભેટ્યા,રોડ રસ્તાઓ બંધ થતા લોકોને હાલાકી

Our Visitor

000107
Total Users : 107
Total views : 206
Who's Online : 0
Views 3454

ગુજરાત રાજ્યભરમાં ભારે વરસાદે વિનાશ વેર્યો છે. તેમજ રાજ્યમાં ગઈકાલે વરસાદથી ૮ લોકોના મોત થયા છે. તથા ૨૪ કલાકમાં ૧૫ પશુઓ મોતને ભેટ્યા છે. તેમજ પંચાયત હસ્તકના ૧૦૬ રોડ બંધ કરવામાં આવ્યા છે. સૌથી વધુ તાપી જીલ્લામાં ૫૭ રોડ બંધ કરવામાં આવ્યા છે. નવસારી જિલ્લામાં ૨૨, સુરતમાં ૧૭ રોડ બંધ થયા છે. સાથે જ વલસાડમાં ૭, કચ્છ જિલ્લામાં ૧ રોડ બંધ છે.

બનાસકાંઠા, પંચમહાલ જિલ્લામાં ૧-૧ રોડ બંધ છે તથા ખેડાના ૫ ગામમાં વીજ પુરવઠો ખોરવાયો છે. સુરેન્દ્રનગરના ચુડાના ૬ ગામમાં વીજ પુરવઠો ખોરવાયો છે. તેમજ પોરબંદરના ૩ ગામમાં વીજ પુરવઠો ખોરવાયો છે. સાથે જ ગીર સોમનાથના 3 ગામમાં વીજ પુરવઠો ખોરવાયો છે.
રાજ્યમા વરસાદના કારણે ગઈકાલે એક જ દિવસમાં ૮ લોકોના મોત થયા છે. તેમાં ૨૧ લોકોને નાની મોટી ઇજા થઈ છે. તથા રાજ્યમાં ૧૩ ગામોમાં વિજ પુરવઠો ખોરવાયો છે. રાજ્યમાં વરસાદના કારણે ૧૦૬ રોડ રસ્તા બંધ થયા છે. આજે દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ જ્યારે સૌરાષ્ટ્રમાં જૂનાગઢ અને ગીર સોમનાથમાં ભારે વરસાદ વરસે તેવી સંભાવના છે. વડોદરા, પંચમહાલ, દાહોદ, મહિસાગર, અરવલ્લી, સાબરકાંઠામાં ભારે વરસાદ પડી શકે. ૧ જૂલાઈના સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદ પડવાની આગાહી છે. જ્યારે માછીમારોને આગામી ચાર દિવસ માટે દરિયો ન ખેડવા સૂચના આપી દેવામાં આવી છે. પવનની ગતિ ૪૦-૪૫ કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની સંભાવના છે.

Happy
Happy
0 %
Sad
Sad
50 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
50 %

ગુજરાતમાં ભારે વરસાદને કારણે ૨૪ કલાકમાં ૮ લોકોના મોત ;૧૫ પશુઓ મોતને ભેટ્યા,રોડ રસ્તાઓ બંધ થતા લોકોને હાલાકી

Related posts

દુઃખદ / આણંદના વાસદમાં સત કેવલ સંપ્રદાયના સંત મૃત્યુ ઉપર પ્રવચન આપી રહ્યા હતા અને અચાનક નીચે ઢળી પડતા થયું મોત, જુઓ વિડીયો

Phone: 9998685264.

ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબ SIT ની રચના કરો ! ઓલપાડ સહીત દક્ષિણ ગુજરાતમાં ખુલ્લેઆમ દેશી-વિદેશી દારૂની હેરાફેરી ઉપર લગાઓ લગામ, વહીવટદારોની મીલીભગતની તપાસ કરી તેમની સંપત્તિ જપ્ત કરો : દર્શન નાયક

Phone: 9998685264.

હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટ ને અદાણી ગ્રુપે ભારત સામે નું સુનિયોજીત ષડ્યંત્ર ગણાવ્યું

Phone: 9998685264.

Leave a Comment