
અંબાજી નજીક આવેલ ત્રિશુળીયા ઘાટ પર યુવાનનો ઝાડ પર લટકતો મૃતદેહ મળી આવતા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.દાંતા અંબાજી માર્ગ પરના ત્રિશુળીયા ઘાટ પર મુખ્ય માર્ગથી ખુબજ ઊંચાઈ પર 22 વર્ષીય યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો.
ડુંગર પર વૃક્ષની ડાળીએ ફાંસો ખાધેલી અવસ્થામાં એક યુવકની લાશ બુધવારે મળી આવી છે. ઘટનાની જાણ દાંતા પોલીસને થતા તાત્કાલિક બનાવ સ્થળે પહોંચી આગળની તજવીજ હાથ ધરી છે.જ્યા પ્રાથમિક દ્રષ્ટિએ મૃતક યુવાન અંબાજી હડાદ માર્ગ પરના રાણપુર ગામનો હોવાનું બહાર આવ્યું હતું.આત્મહત્યા કે હત્યા તે બાબતનુ રહસ્ય હજુ અકબંધ છે. પોલીસે આ સંદર્ભે કાર્યવાહી હાથ ધરી છે.





Total Users : 107
Total views : 206
Who's Online : 0