Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

સુરતમાં હીરાના કારખાનામાં કામ કરતા મેનેજર ઉપર હીરાની ચોરી કર્યાની શંકા રાખતા શેઠે ફરીયાદ નોંધાવતા પોલીસે મેનેજરને ઢોર માર માર્યો! મેનેજર શખ્સનો પોલીસની મારથી કંટાળી આપઘાત! પરિવારજનોના પોલીસ સ્ટેશનમાં ધરણા

Our Visitor

000115
Total Users : 115
Total views : 217
Who's Online : 0
Views 418

*આઘાતમાં આવી કતારગામમાં રહેતા મુકેશભાઇ સોજીત્રાએ ઝેર પી લીધું
શેઠના ઇશારે પરબત સહિતના પોલીસ કર્મીઓ પણ યેનકેન પ્રકારે બોલાવી માર મારતા
પરિવારે ન્યાયની માંગ સાથે પોલીસ મથકમાં જ કર્યા ધરણાં

હીરા ચોરીનો આરોપ મૂકી ટોર્ચરિંગ કરી ઢોર માર મરાતા આધાતમાં આવી ગયેલા હીરાના કારખાનાના મેનેજરે ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો.
કારખાનાના શેઠના ઇશારે પોલીસ કર્મીઓએ મેનેજ૨ પર અસહ્ય ત્રાસ ગુજાર્યો હતો. આ અંગે પરિવારજનોએ હોબાળો મચાવી સંગીન આક્ષેપો પણ કર્યા હતા.

મળતી વિગતો પ્રમાણે કતારગામમાં આંબાવાડી ખાતે અક્ષરધામ સોસાયટીમાં રહેતા મુકેશ ઉર્ફે મગન કનુભાઇ સોજીત્રા (ઉ.વ.48) નંદુ ડોશીની વાડીમાં વિપુલ મોરડિયાની હીરાની કંપનીમાં મેનેજર તરીકે કામ કરતા હતા. દરમિયાન ગત તા.27મીએ બપોરે મુકેશભાઇએ ઘરમાં અનાજમાં નાંખવાની દવા પી લીધી હતી. તેમણે તાત્કાલિક સારવાર અર્થે પ્રાણનાથ હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં ટૂંકી સારવાર બાદ તેમનું મોત થયું હતુ. પરિવારજનોએ કરેલા આક્ષેપ પ્રમાણે હીરાના કારખાનામાં હીરા ચોરાઇ ગયા હતા. જે ચોરીના વહેમમાં કારખાનાના શેઠ તેમણે ટોર્ચર કરતા હતા અને શેઠના ઇશારે પરબતસિંહ સહિતના પોલીસ કર્મીઓ પણ યેનકેન પ્રકારે બોલાવી માર મારતા હતા. જેથી કંટાળી તેમણે આપઘાત કરી લીધો હતો. પરિવારે આ મામલે ભારે હંગામો મચાવ્યો હતો. ન્યાયની માંગ સાથે પરિવારજનોએ સિંગણપોર પોલીસ મથકમાં જ ધરણા કર્યા હતા. આખરે સિંગણપોર પોલીસે આ મામલે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

સુરતમાં હીરાના કારખાનામાં કામ કરતા મેનેજર ઉપર હીરાની ચોરી કર્યાની શંકા રાખતા શેઠે ફરીયાદ નોંધાવતા પોલીસે મેનેજરને ઢોર માર માર્યો! મેનેજર શખ્સનો પોલીસની મારથી કંટાળી આપઘાત! પરિવારજનોના પોલીસ સ્ટેશનમાં ધરણા

Related posts

સુરતના APMC શાકભાજી બજારમાં ચાલતી ગેરરીતિ સામે બોર્ડના ડિરેક્ટરોએ જ વાંધો ઉપાડ્યો! APMC ના ચેરમેન સામે અવિશ્વાસની દરખાસ્ત, અગાઉ અનેક વખત કરાઈ હતી રજૂઆતો તેમ છતાં કાર્યવાહી કેમ ના કરાઈ: દર્શન નાયક

Phone: 9998685264.

સુરત સીટી થઈ માથાભારે તત્વોના હાથની કઠપૂતળી, હુમલાખોર બેફામ બન્યા, મોર્નિંગ વોક પર નીકળેલા યુવક પર કર્યો ઘાતકી હુમલો

Phone: 9998685264.

ભરૂચ સુંદરમ જવેલર્સમાં ગ્રાહકના સ્વાંગમાં લૂંટ કરવા પિસ્તોલ લઈ 3 લૂંટારું ત્રાટકયા, જવેલર્સનું મોઢું દબાવી લૂંટનો પ્રયાસ,જુઓ વિડીયો

Phone: 9998685264.

Leave a Comment