Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

મોરબીમાં તસ્કરો બેફામ! સરપંચના ઘરમાં હાથ ફેરો કરી 5 લાખ રોકડા અને 25 તોલા સોનાના દાગીનાની ચોરી કરી ગયા, પોલીસે તપાસ હાથ ધરી

મોરબીમાં તસ્કરો બેફામ! સરપંચના ઘરમાં હાથ ફેરો કરી 5 લાખ રોકડા અને 25 તોલા સોનાના દાગીનાની ચોરી કરી ગયા, પોલીસે તપાસ હાથ ધરી

Our Visitor

000115
Total Users : 115
Total views : 217
Who's Online : 0
Views 4201

અહેવાલ – ટાઈમ્સ ઓફ અમદાવાદ

પોલીસ પેટ્રોલિંગ સામે અનેક સવાલ

મોરબીમાં તસ્કરો બેફામ! સરપંચના ઘરમાં હાથ ફેરો કરી 5 લાખ રોકડા અને 25 તોલા સોનાના દાગીનાની ચોરી કરી ગયા, પોલીસે તપાસ હાથ ધરી

બનાવની મળતી માહિતી મુજબ જેપુર ગામે રહેતા પૂર્વ સરપંચ કુંવરજીભાઈ કાવઠીયાના ઘરને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું કુંવરજીભાઈ કાવઠીયા અને તેના પત્ની ગરમીથી બચવા માટે ફળિયામાં સુતા હતા. તેમજ સંતાનો સહિતના પરિવારના સભ્યો અગાસી પર સુતા હતા ત્યારે તસ્કરો ઘરમાં ઘુસ્યા હતા અને કુંવરજીભાઈના મકાનને નિશાન બનાવી તસ્કરોએ ઘરમાંથી ૫ લાખથી વધુની રોકડ રકમ અને ૨૫ તોલા સોનાના દાગીનાની ચોરી કરી હોવાની માહિતી પરિવાર પાસેથી પ્રાપ્ત થઇ છે.

મોરબી તાલુકાના જેપુર ગામે
ગરમીને લીધે પરિવારના સભ્યો ફળિયા તથા અગાસીમાં સૂતા હતા એ સમય દરમિયાન તસ્કરો કળા કરી ગયા

મોરબી પંથકમાં તસ્કરો બેફામ બની ગયા છે વાહન ચોરી અને ઘરફોડ ચોરીના બનાવો સતત વધી રહ્યા છે અને પોલીસ ટીમની નાઈટ પેટ્રોલિંગ સામે સતત સવાલો ઉભા થઇ રહ્યા છે ત્યારે ગત રાત્રીના જેપુર ગામે તસ્કરોએ ધામા નાખ્યા હતા જ્યાં ગામના પૂર્વ સરપંચના મકાનને નિશાન બનાવી ૫ લાખથી વધુની રોકડ રકમ અને ૨૫ તોલા જેટલા સોનાના દાગીનાની ચોરી કરી તસ્કરો નાસી ગયા હતા.

ચોરીના બનાવની જાણ થતા પોલીસ ટીમ દોડી ગઈ હતી અને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે જોકે વધુ એક ચોરીની ઘટનાએ પોલીસના નાઈટ પેટ્રોલિંગના દાવાની પોલ ખોલી નાખી છે તસ્કરો માટે મોરબી જિલ્લો રેઢું પડ બની ગયો છે. અને ધારે તે સ્થળે તસ્કરો ચોરીને અંજામ આપી ખાખીનું નાક કાપી રહ્યા છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

મોરબીમાં તસ્કરો બેફામ! સરપંચના ઘરમાં હાથ ફેરો કરી 5 લાખ રોકડા અને 25 તોલા સોનાના દાગીનાની ચોરી કરી ગયા, પોલીસે તપાસ હાથ ધરી

Related posts

વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે ફરજ બજાવતો પોલીસ કોન્સ્ટેબલ દારૂના નશામાં ધૂત બની ભાન ભુલ્યો, ગાળો ભાંડતો હોવાથી જેલરે પોલીસ બોલાવી કોન્સ્ટેબલ સામે ગુનો નોંધાવ્યો

Phone: 9998685264.

સુરત / કતારગામના વેપારીની વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યા! સ્યુસાઈડ નોટમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીને કહ્યું, મારાં પરિવારને ન્યાય અપાવજો! ગુનેગારોને ભારે સજા અપાવજો, મિત્રો દુઃખની ઘડીમાં મારાં પરીવાર સાથે રહેજો

Phone: 9998685264.

ACCBA / સિનિયર એક્ઝિક્યુટિવ કમિટીની ચૂંટણીમાં મુકેશ સિંહ રાજપુત વિજેતા બનતા વરિષ્ઠ ધારાશાસ્ત્રીઓ દ્વારા શુભેચ્છા પાઠવાઈ

Phone: 9998685264.

Leave a Comment