Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

ભરૂચના સાંસદ મનસુખ વસાવાના અશોભનીય વર્તન અને અપશબ્દ બોલી મામલતદારને ખખડાવવાના મામલે સાંસદ સામે મોરચો! કાલથી મામલતદારો કાળી પટ્ટી બાંધી ફરજ પર આવશે, 4 માર્ચથી સીએલ પર ઉતરશે!

Our Visitor

000113
Total Users : 113
Total views : 215
Who's Online : 0
Views 383

રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )

ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મામલતદારને અપશબ્દો બોલતા તેના ઘેરા પ્રત્યાઘાત સમગ્ર રાજ્યમાં પડ્યા છે. મામલતદાર સાથેના અશોભનીય વર્તનથી રાજ્યના તમામ મામલતદારો નારાજ થયા છે. અશોભનીય વાણી વિલાસના વર્તન સામે હવે મામલતદારો લડી લેવાના મૂડમાં છે.

ગુજરાત રાજ્ય મામલતદાર એસોસિયેશન દ્વારા અગાઉ મુખ્યમંત્રી, મહેસુલ મંત્રી સહિત સ્થાનિક કલેક્ટર કચેરીએ આવેદનપત્ર અપાયા હતા અને ભરૂચના સાંસદ સામે કાર્યવાહી અથવા આ કૃત્ય બદલ માફી માંગવા માંગ કરાઈ હતી.
મામલતદાર એસોસિયેશન દ્વારા આ મામલે અલ્ટીમેટમ પણ અપાયું હતું. જોકે આજદીન સુધી આ મામલે કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા મામલતારોએ હવે સાંસદ સામે મોરચો માંડ્યો છે.

આ મામલે ગુજરાત રાજ્ય મામલતદાર એસો.ના પ્રમુખે જણાવ્યું કે, આ મામલે કોઈ કાર્યવાહી ન થતા રાજ્યના તમામ મામલતદારો આવતીકાલથી કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવી વિરોધ દર્શાવશે અને 4 માર્ચે માસ સીએલમાં જોડાશે.
જાણો શું હતો સમગ્ર મામલો

ભરૂચના સાંસદ મનસુખ વસાવા માલોદ ગામે અકસ્માતનો ભોગ બનેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવા માટે ગયા હતા. આ સમયે તેમણે મામલદારને જાહેરમાં ખખડાવ્યા હતા અને ગાળો ભાંડી હતી. નોંધનીય છે કે સમગ્ર ઘટના દરમિયાનનો વીડિયો પણ વાયરલ થયો હતો.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

ભરૂચના સાંસદ મનસુખ વસાવાના અશોભનીય વર્તન અને અપશબ્દ બોલી મામલતદારને ખખડાવવાના મામલે સાંસદ સામે મોરચો! કાલથી મામલતદારો કાળી પટ્ટી બાંધી ફરજ પર આવશે, 4 માર્ચથી સીએલ પર ઉતરશે!

Related posts

આમ આદમી પાર્ટી અને ભાજપના પોસ્ટર વોર વચ્ચે ઓલપાડમાં કોંગ્રેસ સમિતિ દ્વારા રાહુલ ગાંધીના આઠ વચનોની પત્રિકાનો વિતરણ! જનતા જનાર્દન કોંગ્રેસને આપી રહી છે સમર્થન : દર્શન નાયક

Phone: 9998685264.

વડોદરામાં ગાયો પકડવા આવેલી પોલીસ ઉપર ગોપાલકોનો પથ્થરમારો, PSI ચાવડા ઘાયલ, પોલીસે પરિસ્થિતિ ઉપર કંટ્રોલ મેળવવા કર્યો લાઠીચાર્જ

Phone: 9998685264.

UNFSS પ્રી-સમિટ રાઉન્ડટેબલમાં બિનઆરોગ્યપ્રદ આહાર પર ચેતવણી આપતાં ચિહ્નો છાપવા સીઈઆરસીની માંગ!

Phone: 9998685264.

Leave a Comment