Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

નવસારી / ચીખલીમાં ચાર સંતાનની માતાને તેના પતિએજ આડા સબંધોની શંકા રાખી રહેશી નાખી

Our Visitor

000115
Total Users : 115
Total views : 217
Who's Online : 0
Views 356

રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )

લગ્ન જીવનમાં પતિ અથવા તો પત્નીના અન્ય સ્ત્રી કે પુરુષોની સાથે આડો સંબંધ હોવાના કિસ્સાઓ સામે આવે છે. ત્યારે આવી જ એક ઘટના નવસારીમાં સામે આવી છે. આ ઘટનામાં પતિએ તેની પત્નીનો અન્યની સાથે આડો સંબંધ હોવાની શંકા રાખીને તેની હત્યા કરી નાંખી હતી. ત્યારબાદ તેને પત્નીની લાશને રસ્તા પર ફેકી દીધી હતી. હત્યા કર્યા બાદ પતિ તેના ચાર સંતાનોને લઇને ઉત્તર પ્રદેશ જવા માટે ભાગી ગયો હતો.
રિપોર્ટ અનુસાર ચીખલી નજીક થાલા ગામ આવેલું છે. આ ગામની હદમાંથી પોલીસને પાંચ દિવસ પહેલા એક પ્લાસ્ટિકના બેરલમાંથી એક મહિલાની લાશ મળી આવી હતી. પોલીસે ઘટના સ્થળની પ્રાથમિક તપાસ બાદ સમગ્ર મામલે હત્યાનો ગુનો દાખલ કરીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. મહિલાની લાશ પર ગળાના ભાગે તીક્ષણ હથિયારના ઘા ઝીંકવામાં આવ્યા હોવાના નિશાન મળી આવ્યા હતા.

ત્યારબાદ પોલીસે સમગ્ર મામલે તપાસ કરતા જાણવા મળ્યું હતું. મૃતક મહિલા કપરાડામાં પતિની સાથે રહેતી હતી અને તેના પતિનું નામ ઇન્દ્રજીત ગૌતમ છે. ઇન્દ્રજીતને એવી આશંકા હતી કે તેની પત્નીનો અન્ય સાથે આડો સંબંધ છે. તેથી ઇન્દ્રજીતે પત્ની સાથે ઝઘડો કર્યો હતો અને રોષે ભરાઈને તેને પત્નીને માથાના ભાગે કોઈ હથિયાર વડે ઈજા પહોંચાડીને તેની પત્નીની હત્યા કરી નાંખી હતી. ત્યારબાદ પત્નીની લાશને એક પ્લાસ્ટિકના બેરલમાં પેક કરી દીધી હતી. ત્યારબાદ તે લાશને બેરલમાં ભરીને થાલા ગામ પર નાંખી આવ્યો હતો. ઇન્દ્રજીતે તેની પત્નીની લાશને સેલોટેપથી વીંટી દીધી હતી.

ઇન્દ્રજીતે તેના મિત્ર રાકેશ પટેલને ઇકો લઇને વ્યારા રેલવે સ્ટેશન પર મૂકી જવા માટે જણાવ્યું હતું. ત્યારબાદ ઇન્દ્રજીતે પ્લાસ્ટિકનું કેન ઇકો ગાડીમાં મુક્યું હતું. પછી તે ચાર બાળકો અને અન્ય એક મિત્ર વલ્લભ સાથે વ્યારા જવાના રવાના થયા અને રસ્તમાં બેરલનું ઢાંકણું ખૂલી ગયું હોવાના કારણે તેમાંથી લાશની વાસ આવા લાગી હતી. તેથી કારમાં રહેલા બધા લોકોને આ નાનતે જાણ થઇ ગઈ હતો. ત્યારબાદ ઇન્દ્રજીત અને તેના મિત્રોએ સાથે મળીને આ લાશનો નિકાલ રસ્તાની સાઈડમાં આવેલા કચરાના ઢગલામાં કર્યો હતો. ત્યારબાદ ઇન્દ્રજીત તેના 4 બાળકોની સાથે UP જવા માટે રવાના થયો હતો.

આ ઘટનાની પોલીસે ટેકનીકલ ટીમની મદદ લઇને કરી હતી. તે સમયે પોલીસે રસ્તા પરના CCTV ફૂટેજના આધારે ECO કારના ડ્રાઈવર રાકેશ અને વલ્લભની અટકાયત કરીને તેની પૂછપરછ કરી હતી. આ પૂછપરછમાં હત્યાનો ભેદ ઉકેલાય ગયો હતો.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

નવસારી / ચીખલીમાં ચાર સંતાનની માતાને તેના પતિએજ આડા સબંધોની શંકા રાખી રહેશી નાખી

Related posts

સરદારનગર સહીત અમદાવાદના જુદા જુદા વિસ્તારમાં 9 ઘરફોડ ચોરીને અંજામ આપનાર રીઢા ગુનેગારને ઝડપી પાડી પ્રસંશનીય કામગીરી કરતી સરદારનગર પોલીસ,બે ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, અન્ય બે ફરાર આરોપીઓને ઝડપી પાડવા કવાયત હાથ ધરાઈ

Phone: 9998685264.

મુંબઈ / રાતના અંધારામાં મહિલાની જાહેરમાં કરાઈ હત્યા! પહેલાથી જ રાહ જોઈને બેઠો હતો હત્યારો, છરીના ઉપરા છાપરી ઘા મારી કરી હત્યાં, મુંબઈ પોલીસનો ખુલાસો, આવો કોઈ બનાવ મુંબઈમાં નથી બન્યો, જુઓ વિડીયો

Phone: 9998685264.

IPL 2022: હાર્દિક પંડયાને ખરીદી અમદાવાદની ટીમે રમ્યો મોટો દાવ, કેપ્ટન બનાવવાથી ટીમને થશે નુકશાન આકાશ ચોપડા
જુઓ હાર્દિકનો વિડીયો

Phone: 9998685264.

Leave a Comment