Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

દહેગામ / પોતાના નાનાભાઈ સાથે પત્નીના આડા સબંધોની શંકા રાખી પતિએ પત્નીની કરપીણ હત્યાં કરી નાખી,માતાને બચાવવાં વચ્ચે પડેલી દીકરીને પણ ઈજાઓ પહોંચાડી

Our Visitor

000115
Total Users : 115
Total views : 217
Who's Online : 0
Views 807

રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )

ગાંધીનગર , તા . ૧૭ : દહેગામમાં હચમચાવી દેનારી ઘટના બની છે , જેમાં એક શખ્સે પત્નીના ઘરમાં જ આડા સંબંધની શંકા રાખીને તેની કરપીણ હત્યા કરી નાખી છે . આ ઘટનામાં પોતાની માતાને બચાવવા માટે વચ્ચે પડેલી દીકરીને પણ ગંભીર ઈજાઓ થઈ હતી . આ ઘટનામાં પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે .

દહેગામના ધમીજ ગામમાં પોતાના નાના ભાઈ સાથે પત્નીના આડા સંબંધ હોવાની શંકા પતિને હતી અને તેના ઝઘડામાં આવેશમાં આવેલા પતિએ પત્નીની હત્યા કરી નાખી હતી . ધમીજના વાલ્મીકિ વાસમાં બનેલી ઘટનામાં દિનેશ ઉર્ફે રાજુ ગાંડાભાઈ વાલ્મીકિએ ૧૪ ઓગસ્ટના રોજ રાત્રે પત્ની સાથે ઝઘડો કર્યો હતો અને પછી આ ઝઘડાએ આક્રામક સ્વરુપ ધારણ કરી લીધું હતું . નાના ભાઈ સાથે પત્નીના આડા સંબંધની શંકાએ દિનેશે તેની પત્નીને લાકડાના દંડાથી ઢોર માર માર્યો હતો , આ દરમિયાન તેની ૧૫ વર્ષની દીકરી માતાને બચાવવા માટે વચ્ચે પડી તો દિનેશે તેને પણ માર માર્યો હતો અને તે ગંભીર રીતે ઘાયલ થઈ હતી . ઘરમાં માતાની હાલત જોઈને ગભરાઈ ગયેલો દિનેશનો નાનો દીકરો પાડોશીઓને પોતાના ઘરે બોલાવી લાવ્યો હતો .

પાડાશી તથા પરિવારના સભ્યોએ દિનેશથી મા – દીકરીને છોડાવ્યા હતા પરંતુ આ હુમલામાં મહિલાને ગંભીર ઈજાઓ થઈ હોવાથી તેનું ઘટના સ્થળ પર જ મોત થઈ ગયું હતું . જ્યારે દિનેશે કરેલા હુમલામાં ઘાયલ થયેલી દીકરીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે . દિનેશને સળવળેના શંકાના કીડાના કારણે આખો પરિવાર બરબાદ થઈ ગયો છે જેમાં બાળકોએ માતાનું મોત અને પિતા જેલમાં જતા તેમની છત્રછાયા ગુમાવી દીધી છે . દહેગામ પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા દિનેશની સામે વધુ કાર્યવાહી કરવામાં આવી રહી છે . પોલીસ તપાસ દરમિયાન અને આરોપીના રિમાન્ડ દરમિયાન વધારે હકીકત અને હત્યાની ઘટના અંગે નવા ખુલાસા થવાની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે .

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

દહેગામ / પોતાના નાનાભાઈ સાથે પત્નીના આડા સબંધોની શંકા રાખી પતિએ પત્નીની કરપીણ હત્યાં કરી નાખી,માતાને બચાવવાં વચ્ચે પડેલી દીકરીને પણ ઈજાઓ પહોંચાડી

Related posts

સુરત / પાછોતરા વરસાદ ને પગલે દક્ષિણ
ગુજરાતના ખેડૂતોને મોટું નુકશાન !
પેટા – ખેડૂતોના મોંમા આવેલો કોળિયો છીનવાઇ જવાની શક્યતા, ખેડુતો પાયમાલ થઇ જશે : દર્શન નાયક

Phone: 9998685264.

સુરત / ઓલપાડ વિધાનસભામાં સમાવિસ્ત ટકારા અને દેલાસામાં ચૂંટણી પ્રચાર કરાયો! કોંગ્રેસના ઝૂઝારું અને લોકપ્રિય નેતા દર્શન નાયકની આગેવાનીમાં કોંગ્રેસના વચનની પત્રિકાનું વિતરણ અને ડોર ટુ ડોર જનસંપર્ક કરાયો

Phone: 9998685264.

મા કુળદેવી ઉમિયા માતાજીનું ભવ્યાતિભવ્ય મંદિરઃ 100 કરોડનો ખર્ચઃ 9 વર્ષની અથાગ મહેનત, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનું કરાશે ભવ્ય સન્માન

Phone: 9998685264.

Leave a Comment