Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

ગાંધીનગર /કમલમ ખાતે દેખાવ કરવા ગયેલી આમ આદમી પાર્ટી ઉપર લાઠી ચાર્જ, નેતાઓ ઈજાગ્રસ્ત તો કેટલાક કાર્યકર્તાઓના માથા ફૂટ્યા, ગૃહમંત્રી એ શુ કહ્યું વાંચો

Our Visitor

000115
Total Users : 115
Total views : 217
Who's Online : 0
Views 260

રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )

આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયા સહિતના નેતાઓ ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ પર વિરોધ કરવા માટે પહોંચ્યા હતા. હેડ ક્લાર્ક પેપર લીક કાંડ બાબતે આમ આદમી પાર્ટીનો આ વિરોધ હતો. આ વિરોધ સમયે આમ આદમી પાર્ટીના નેતાઓ ભાજપ વિરોધી કેટલાક નારાઓ પણ લગાવ્યા હતા.
આ વિરોધ બાદ પોલીસ જ્યારે કમલમમાં આવી ત્યારે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને દોડાવી-દોડાવીને માર મારવામાં આવ્યો હતો.

આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયાને પીઠના ભાગે ઉઝરડા પણ પડ્યા હતા. તો કોઈ કાર્યકર્તાઓને માથામાં તો કોઈને મોઢામાંથી લોહી નીકળ્યું હોવાનું સામે આવ્યું છે. પણ આ વિરોધ બાદ ભાજપ દ્વારા આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ પર ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે.

ભાજપ દ્વારા આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવી અને કેટલાક કાર્યકર્તાઓ પર ભાજપની મહિલા કાર્યકર્તાઓની છેડતી કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ ઉપરાંત ઈશુદાન ગઢવી સહિત કેટલાક નેતાઓ દારુના નશામાં વિરોધ કરવા માટે આવ્યા હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે. આ મામલે ભાજપ દ્વારા પોલીસને પણ અરજી આપવામાં આવી છે અને આ અરજીમાં છેડતી અને દારૂના નશાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો બીજી તરફ આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવીને પોલીસ દ્વારા ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં બ્લડ ટેસ્ટ માટે લઇ જવામાં આવ્યા હતા. ત્યારે આમ આદમી પાર્ટીના કમલમ પર કરવામાં આવેલા વિરોધને લઇને રાજ્યનું રાજકારણ ગરમાયું છે. ત્યારે હવે આ બાબતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ પ્રતિક્રિયા આપી છે.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, કેટલાક લોકો રાજનીતિના રોટલા શેકવા માટેના ધંધા કરી રહ્યા છે. વિદ્યાર્થીઓના હિતમાં અને એક-એક પરિવારને ન્યાય મળે તે માટે રાજ્ય સરકાર તત્પર છે. તમને જણાવવા માગું છું કે, મુખ્ય 12 આરોપીમાંથી 11 લોકોને પકડી લેવામાં આવ્યા છે. જ્યારે આ રાજનીતિના રોટલા શેકનાર નેતાઓને જાણકારી મળી કે રાજ્ય સરકાર પાસે રાજ્યમાં કાયદાના કડડમાં કડક અમલ માટે સૌથી કડકમાં કડક કલમ મોજુદ છે.અને તે કલમ આ લોકો પર સરકાર લગાડવા જઈ રહી છે ત્યારે આ લોકોથી દેખાતું નથી. ક્યાંકને ક્યાંક આપણે જાણીએ છીએ કે પેપર લીકની તપાસ ખતમ થવાની ગણતરીના કલાકોમાં જે લોકો સામે આવ્યા છે. આમાં પણ અનેક લોકો એવા છે કે જે લોકો પેપર ફોડનારના સંપર્કમાં છે. કોણ કેટલા સમયથી આ પેપર ફોડનારના સંપર્કમાં છે તેની તપાસ પણ ચાલી રહી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

ગાંધીનગર /કમલમ ખાતે દેખાવ કરવા ગયેલી આમ આદમી પાર્ટી ઉપર લાઠી ચાર્જ, નેતાઓ ઈજાગ્રસ્ત તો કેટલાક કાર્યકર્તાઓના માથા ફૂટ્યા, ગૃહમંત્રી એ શુ કહ્યું વાંચો

Related posts

ગુજરાતમાં 8 મહાનગર પૈકી 7 માં પોલીસ કમિશ્નર તો હવે કયા મહાનગરમાં પોલીસ કમિશ્નરની નિયુક્તિ થશે, શુ ગૃહમંત્રી હર્ષ સંઘવીના કાર્યકાળમાં આ કામ થશે?

Phone: 9998685264.

કમોસમી માવઠાને કારણે દક્ષિણ ગુજરાતની સુગર ફેકટરીઓને અસર,પેટા-ખેતરોમાં કપાયેલી શેરડીનો મોટો જથ્થો પડી રહેતા ખેડૂતોની ચિંતા વધી

Phone: 9998685264.

15 મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ નિમિતે ગુજરાત પોલીસના કર્મનીષ્ઠ પોલીસકર્મીઓને એવોર્ડ એનાયત કરાશે, આ છે નામની યાદી

Phone: 9998685264.

Leave a Comment