Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

ઇસનપુર વિસ્તારમાં ગુમ થયેલી બાળકીઓ અને મહિલાઓ સહિત 13 જેટલી વ્યક્તિઓને માત્ર એક માસમાં પોલીસે શોધી કાઢ્યા

ઇસનપુર વિસ્તારમાં ગુમ થયેલી બાળકીઓ અને મહિલાઓ સહિત 13 જેટલી વ્યક્તિઓને માત્ર એક માસમાં પોલીસે શોધી કાઢ્યા

Our Visitor

000115
Total Users : 115
Total views : 218
Who's Online : 0
Views 6300

ઇસનપુર વિસ્તારમાં ગુમ થયેલી બાળકીઓ અને મહિલાઓ સહિત 13 જેટલી વ્યક્તિઓને માત્ર એક માસમાં પોલીસે શોધી કાઢ્યા

ઇસનપુર વિસ્તારમાં ગુમ થયેલી બાળકીઓ અને મહિલાઓ સહિત 13 જેટલી વ્યક્તિઓને માત્ર એક માસમાં પોલીસે શોધી પ્રશંસનીય કામગીરી કરી છે. અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ.મલિક અને ઝોન 6 ના ડીસીપી રવિ મોહન સૈનીએ આ અંગે ખાસ સૂચનાઓ આપી હતી. જેને લઇ ઇસનપુર પોલીસે એક ઉમદા કામગીરી કરીને એક જ માસમાં ગુમ થયેલી બાળકી અને મહિલા સહિત 13 વ્યક્તિઓને શોધી કાઢ્યા છે.

વિગતો એવી છે કે ઈસનપુર વિસ્તારમાંથી જુદી જુદી જગ્યાઓ ખાતેથી છેલ્લા 10 માસ જેટલા સમયમાં બાળાઓ/મહિલાઓ/પુરુષો ગુમ થવાની ઘટનાઓ બની હતી. જે પૈકી અમુક ઘટનાઓમાં ગુમ થનાર ઘર છોડી જતા રહ્યા હતા, જ્યારે અમુક પ્રેમ સંબંધ હોવાથી કોઈની સાથે જતા રહેતા, ઈસનપુર પોલીસ સ્ટેશન ખાતે 08 જેટલા કિસ્સાઓમાં ગુમ જાણવા જોગ દાખલ થયેલ હતી જ્યારે 04 જેટલા કિસ્સાઓમાં અપહરણની ફરિયાદો નોંધવામાં આવેલ હતી.

અમદાવાદ શહેરના નાયબ પોલીસ કમિશ્નર રવિ મોહન સૈની તથા જે ડિવિઝનના એસીપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સ્થાનિક ઈસનપુર પોલીસ સ્ટેશનના પીઆઈ બી.એસ.જાડેજા ઇસનપુર વિસ્તારમાંથી ગુમ બાળકીઓ અને મહિલાઓને શોધી કાઢવા સૂચના આપી હતી.
સુચનાના આધારે પોલીસ ટીમ દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગુમ થયેલી બાળાઓ/મહિલાઓને શોધવાની કામગીરીમાં જહેમત ઉઠાવી, માત્ર એક જ માસ (માર્ચ મહિનામાં) કુલ 13 બાળાઓ અને મહિલાઓ તેમજ એક પુરુષને શોધી કાઢી, તેમના પરિવારજનો સાથે મુલાકાત કરાવી હતી.

Happy
Happy
50 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
50 %

ઇસનપુર વિસ્તારમાં ગુમ થયેલી બાળકીઓ અને મહિલાઓ સહિત 13 જેટલી વ્યક્તિઓને માત્ર એક માસમાં પોલીસે શોધી કાઢ્યા

Related posts

અમદાવાદ અને નળ સરોવર ખાતે થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, વેજલપુર પોલીસે બાતમીના આધારે આરોપીઓને ઝડપી પાડી સફળ કામગીરી કરી, 3 આરોપીઓ અને 3.50 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો

Phone: 9998685264.

સંત આસારામ બાપુના 450 આશ્રમમાં શ્રાધ્ધ તર્પણ વિધીનો કાર્યક્રમ યોજાયો! 8 લાખથી વધારે લોકોએ વૈદિક મંત્રોચ્ચાર સાથે કર્યું તર્પણ

Phone: 9998685264.

ઉત્તર પ્રદેશ / માત્ર 75 ઘર ધરાવતા ગામમાં 47 લોકો IAS ઓફિસર બન્યા, ઈસરો,અણુ સંશોધન કેન્દ્ર, વિશ્વ બેંક તથા અનેક દેશોના રાજદૂત બની આપી રહ્યા છે સેવા

Phone: 9998685264.

Leave a Comment