Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

અમદાવાદ / વિરાટનગરમાં 4 લોકોની હત્યાં? પોલીસની પ્રાથમિક તપાસમાં પતિએ પોતાની પત્ની બે બાળકો અને વડ સાસુની હત્યાં કરી હોવાની શંકા?વિનોદ મરાઠી નામનો શખ્સ ફરાર! પોલીસે તપાસ હાથ ધરી

Our Visitor

000110
Total Users : 110
Total views : 209
Who's Online : 0
Views 785

રીતેશ પરમાર ( ક્રાઈમ રીપોર્ટર )

અમદાવાદમાં વિરાટનગર નજીક દિવ્ય પ્રભા સોસાયટીમાં 15 દિવસ પહેલા રહેવા આવેલા પરિવારની હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું છે. 4 દિવસ પહેલા હત્યાને અંજામ આપ્યો હોવાની આશંકા છે. પ્રાથમિક તપાસમાં હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. મૃતદેહ પર હથિયારના ઘા માર્યા હોવાના નિશાન મળ્યા છે.

અમદાવાદ: અમદાવાદમાં એક પરિવારના ચાર સભ્યોની હત્યા કરવામાં આવી છે. સામુહિક હત્યાની આ ઘટના અમદાવાદના વિરાટનગરમાં સામે આવી છે. વિરાટનગર નજીક આવેલ મકાન માંથી દુર્ગંધ મારતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી ત્યારે આ વાતનો ખુલાસો થયો હતો.

મૃતકોની યાદી

સોનલ બેન પત્ની
પ્રગતિ બેન છોકરી
ગણેશ ભાઈ છોકરો
સુભદ્રા બેન દાદી
હાલમાં વિનોદ ભાઈ જે ઘરનો મોભી છે ફરાર હોવાની માહિતી સામે આવી રહી છે.
મકાનમાં પતિ પત્ની અને બાળકો સહિત 4 લોકો રહેતા હતા. પોલીસને શંકા છે કે આ હત્યાકાંડને વિનોદે જ અંજામ આપ્યો હોઈ શકે છે. આ હત્યાકાંડ 4 દિવસ પહેલા બન્યો હોવાની માહિતી સામે આવી છે. મકાનમાંથી દુર્ગંધ આવતા પાડોશીઓએ પોલીસને જાણ કરી હતી. ત્યાર બાદ પોલીસે ઘરમાં તપાસ કરતા વૃદ્ધા, મહિલા અને દીકરી અને દીકરાનો મૃતદેહ મળી આવ્યા હતા. આ ચારેય મૃતદેહો અલગ અલગ રુમમાંથી મળી આવ્યા હતા.

આ અંગે એવી માહિતી સામે આવી છે કે, આ પરિવાર 15 દિવસ પહેલા જ નિકોલથી વિરાટનગરની દિવ્ય પ્રભા સોસાયટીમાં રહેવા આવ્યો હતો. આ ઘટના બાદ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે. સોનલની માતાએ રિપોર્ટ લખાવ્યો કે તેમની દીકરી નથી મળી રહી ત્યાર બાદ આ તપાસ શરૂ કરવામાં આવી હતી. મૃતદેહ પર હથિયારના ઘા માર્યા હોવાના નિશાન મળી આવ્યા છે. વિનોદે કેટલાક દિવસ પહેલા સાસુ પર હુમલો કર્યો હોવાની વાત સામે આવી છે. પોલીસે વિનોદ મરાઠી નામના ઘરના મોભીની શોધખોળ શરૂ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ હત્યા પાછળ પારિવારિક કારણો હોવાની પોલીસને શંકા છે. હાલમાં એફએસેલ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને તપાસ શરૂ કરી છે.

Happy
Happy
0 %
Sad
Sad
100 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

અમદાવાદ / વિરાટનગરમાં 4 લોકોની હત્યાં? પોલીસની પ્રાથમિક તપાસમાં પતિએ પોતાની પત્ની બે બાળકો અને વડ સાસુની હત્યાં કરી હોવાની શંકા?વિનોદ મરાઠી નામનો શખ્સ ફરાર! પોલીસે તપાસ હાથ ધરી

Related posts

ધારાસભ્ય બનેલા પૂર્વ મંત્રીઓ એકલા પડી ગયા, મંત્રીમંડળમાં સ્થાન ના મળતા ગજાવર નેતાઓ આરામની સ્થિતિમાં

Phone: 9998685264.

લાંચ તો નાની વાત થઈ ગઈ જાણે, હવે તો બુટલેગરો અને કેમિકલ માફિયાઓ ના બાતમીદાર બન્યા પોલીસકર્મીઓ, ખુદ પોલીસ થઈને પોલીસની કરી જાસૂસી, ભરૂચ SP એ કર્યા બે પોલીસકર્મીઓને સસ્પેન્ડ

Phone: 9998685264.

પ્રજાની રક્ષા કરનાર પોલીસની સુરક્ષા કરવી જરૂરી, ગુજરાતનાં પોલીસ વડા આશિષ ભાટિયા દ્વારા 24×7 ના ધોરણે ટેલી મેડિસિન અને હેલ્થ કેરની સુવિધા કાર્યરત કરાઈ

Phone: 9998685264.

Leave a Comment