Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

અમદાવાદ /ભાજપના ગઢમાં જ ભાજપનો વિરોધ! રૂપાલાની ટિકિટ રદ ના થાય ત્યાં સુધી ભાજપના કાર્યકરો કે આગેવાનોએ ગામમાં આવવું નહીં એવા પોસ્ટર લાગ્યા

અમદાવાદ /ભાજપના ગઢમાં જ ભાજપનો વિરોધ! રૂપાલાની ટિકિટ રદ ના થાય ત્યાં સુધી ભાજપના કાર્યકરો કે આગેવાનોએ ગામમાં આવવું નહીં એવા પોસ્ટર લાગ્યા

Our Visitor

000113
Total Users : 113
Total views : 215
Who's Online : 0
Views 7901

અમદાવાદ /ભાજપના ગઢમાં જ ભાજપનો વિરોધ! રૂપાલાની ટિકિટ રદ ના થાય ત્યાં સુધી ભાજપના કાર્યકરો કે આગેવાનોએ ગામમાં આવવું નહીં એવા પોસ્ટર લાગ્યા

રાજકોટ બાદ અમદાવાદમાં પણ ઠેર ઠેર પરષોત્તમ રૂપાલાનો વિરોધ સામે આવ્યો છે. ભાજપનો ગઢ ગણાતા નરોડાના દરબાર વાસમાં બેનરો લાગ્યા છે. જેમાં પરષોત્તમ રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી ભાજપના આગેવાનો કે કાર્યકર્તાઓ ગામમાં આવવું નહીં તેવું લખાણ લખવામાં આવ્યું છે.

રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને લઈને નિવેદન આપ્યું હતું. જે બાદ તેઓનો વિરોધ થઈ રહ્યો છે. આ મામલે રાજ્યમાં અનેક જગ્યાએ આવેદન પણ આપવામાં આવ્યા છે ત્યારે હવે અમદાવાદમાં પણ વિરોધ સામે આવ્યો છે.હવે રૂપાલાના ક્ષત્રિયો વિરુદ્ધ કરેલા નિવેદનની આગ અમદાવાદમાં પણ ફેલાઈ છે. રૂપાલાની ટિપ્પણીને લઈને અમદાવાદમાં પણ ક્ષત્રિય સમાજ ભારે વિરોધ કરતા નજરે પડી રહ્યો છે .નરોડા વિસ્તારના દરબાર વાસમાં ભાજપ સામે આક્રોશ દાખવતા બેનરો લાગ્યા છે. જેમાં લખવામાં આવ્યું છે કે, જ્યાં સુધી પરષોત્તમ રૂપાલાની રાજકોટ લોકસભાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી ભાજપના કોઈ પણ કાર્યકર્તા/આગેવાનોએ અમારા ગામમાં આવવું નહી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
100 %

અમદાવાદ /ભાજપના ગઢમાં જ ભાજપનો વિરોધ! રૂપાલાની ટિકિટ રદ ના થાય ત્યાં સુધી ભાજપના કાર્યકરો કે આગેવાનોએ ગામમાં આવવું નહીં એવા પોસ્ટર લાગ્યા

Related posts

વડોદરાના વાઘોડિયા ડભોઈ રીંગરોડ પર આવેલા બંધ બંગ્લોઝ માંથી 2.91 લાખના મુદ્દામાલની થઈ ચોરી, તસ્કરોને ઝડપી પાડવા પોલીસ તપાસ શરુ,

Phone: 9998685264.

દારૂની પાર્ટી કરવાનાં નામે મિત્રને બોલાવી હત્યાં નીપજાવી! પૈસાની લેતી દેતીમાં બે મિત્રોએ પોતાના મિત્રને ગળે ટૂંપો આપી ઠંડા કલેજે મોતને ઘાટ ઉતાર્યો, વલસાડ પોલીસે બંને આરોપીની ધરપકડ કરી

Phone: 9998685264.

થરાદ / મોરથલના ગોકુલગામ પાસેથી પતી-પત્નીની વૃક્ષ સાથે લટકતી લાશ મળી આવી, હત્યાં કે આત્મહત્યા? પોલીસે તપાસ હાથ ધરી

Phone: 9998685264.

Leave a Comment