

સુરત
એપીએમસી ની સ્થાપના થઇ ત્યારે ખેડૂતોને તેઓની ઉત્પાદિત ચીજ વસ્તુઓનું યોગ્ય આર્થિક ઉપાર્જન મળી રહે તેમજ સહકારી મૂલ્યોની જાળવણી માટેનો હેતુ હતો. જોકે, છેલ્લા ઘણા વર્ષોથી સુરત એપીએમસી ના વહીવટકર્તાઓ દ્વારા થઈ રહેલ ગેરવહીવટ અંગે વ્યાપક ફરિયાદો ઉઠી રહી છે. ખેડૂતોને શાકભાજીના પોષણક્ષમ ભાવો ન મળવાની વાત હોય કે વહીવટમાં ખામી ની બાબત હોય અમો દ્વારા અગાઉ જિલ્લા રજિસ્ટ્રાર અને રાજ્ય સરકારમાં અનેક વખત રજૂઆત કરવા છતાં આજદિન સુધી કોઈ પગલાં લેવાયા નથી. ઉલ્ટાનું વહીવટકર્તાઓને ક્લીનચીટ આપી દેવામાં આવતી હતી.







Total Users : 115
Total views : 217
Who's Online : 0