
રીતેશ પરમાર
ભારતીય ટીમ કોલકાતામાં રમાનારી ત્રીજી અને છેલ્લી ટી-20 મેચ પહેલા જ ન્યૂઝીલેન્ડ સામે શ્રેણી જીતી ચૂકી છે. આ શ્રેણીમાં ભારતના બેટ્સમેન અને બોલરો બંનેએ શાનદાર પ્રદર્શન કર્યું છે. જ્યારે ટીમે જયપુરમાં રમાયેલી પ્રથમ મેચ પાંચ વિકેટે જીતી હતી જ્યારે બીજી મેચ પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના ઘર રાંચીમાં રમાયેલી મેચમાં 7 વિકેટે જીત મેળવી હતી.
ન્યુઝીલેન્ડનો આઉટ ઓફ ફેવર ફાસ્ટ બોલર મિશેલ મેકક્લેનાઘન ભારત સામેની આવી હારને પચાવી શક્યો નથી અને તેણે સોશિયલ મીડિયા પર પોતાનો ગુસ્સો ઠાલવ્યો છે.
તેણે ટી20 વર્લ્ડ કપ ફાઈનલ બાદ તરત જ શ્રેણી યોજવા બદલ ભારતીય ટીમની ટીકા કરી છે. બંને ટીમો વચ્ચેની આ T20 શ્રેણીને “અર્થહીન” ગણાવતા મેકલેનાઘને કહ્યું કે અમારી ટીમે એવી ટીમ સાથે રમવાનું છે જે 10 દિવસના આરામ પછી પોતાની ધરતી પર રમી રહી હોય.
મેકક્લેનાઘને ન્યૂઝીલેન્ડ માટે છેલ્લી મેચ 2018માં રમી હતી. પાંત્રીસ વર્ષીય મેકક્લેનાઘન 2012માં ડેબ્યૂ કર્યા બાદ 48 ODI અને 29 T20 ઈન્ટરનેશનલ રમી ચૂક્યો છે. ઉલ્લેખનીય છે કે, ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 17 નવેમ્બરથી ત્રણ મેચની સિરીઝ શરૂ થઈ હતી. બંને ટીમો વચ્ચે ત્રીજી મેચ આજે કોલકાતામાં રમાશે.





Total Users : 109
Total views : 208
Who's Online : 0