Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

ગીર સોમનાથ / શિક્ષક દિવસે જ શિક્ષકે કર્યો આપઘાત,શાળામાં ગળે ફાંસો ખાઈ કરી આત્મહત્યા,

Our Visitor

000111
Total Users : 111
Total views : 211
Who's Online : 1
Views 303

રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )

એક તરફ આજે આખો દેશ શિક્ષક દિવસની ઉજવણી કરી રહ્યો છે, ઠેર-ઠેર શિક્ષકોનું સન્માન કરવામાં આવી રહ્યું છે તો બીજી બાજુ ગીર સોમનાથ જિલ્લામાં એક શિક્ષકે ગળેફાંસો ખાઇને આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. હાલ પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.

ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકાના થોરડી ગામની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક ઘનશ્યામભાઈ અમરેલીયાએ શાળાના જ ઓરડામાં પંખા પર લટકી ગળેફાંસો ખાઈ લીધો હતો.
આ દરમિયાન શાળાના સ્ટાફનું ધ્યાન પડતા તાત્કાલિક જ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસની ટીમ થોરડી ગામે દોડી આવી છે.

પોલીસને શિક્ષકના મૃતદેહ પાસેથી એક સુસાઇડ નોટ મળી આવી છે. સુસાઈડ નોટમાં મૃતક શિક્ષકે બે ટીપીઓ અને એક આચાર્ય દ્વારા તેમની પાસેથી મોટી રકમની માંગણી કરી ત્રાસ આપતા હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે.

હાલ પોલીસે શિક્ષકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો છે અને સુસાઇડ નોટના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

ગીર સોમનાથ / શિક્ષક દિવસે જ શિક્ષકે કર્યો આપઘાત,શાળામાં ગળે ફાંસો ખાઈ કરી આત્મહત્યા,

Related posts

અમદાવાદ /સ્મશાન ઘાટમાં બની નિંદનીય ઘટના! વૃદ્ધ મહિલાના પાર્થિવ દેહનો અંતિમ સંસ્કાર કરવા ના દીધો! પાંચ કલાક સુધી મહિલાનો મૃતદેહ સાબરમતી નદી કિનારે રઝળ્યો, જુઓ સમગ્ર ઘટનાનો વિડીયો

Phone: 9998685264.

સજા પામેલા P.I. બી.પી. સોનારાને ખાતાકીય તપાસ બાદ 3 વર્ષ માટે PSI બનાવી દેવાયા,
વાંકાનેર C.P.I. તરીકે ફરજ બજાવતા સોનારાને હુકમની કરવામાં આવી બજવણી

Phone: 9998685264.

રાજકોટ/ હિસ્ટ્રીશીટરને જાહેરમાં મારમારી અને વરઘોડો કાઢવાના કેસમાં PSI સહીત પાંચ પોલીસકર્મીઓ સામે હાઇકોર્ટે 10-10 હજાર રૂપિયાનો દંડ ફ્ટકાર્યો, ત્રણ દિવસમાં પૈસા ભરી દેવા કડક આદેશ

Phone: 9998685264.

Leave a Comment