Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

દુઃખદ / વ્યાજખોરોના ત્રાસથી વધુ એક આત્મહત્યા! ઘાટલોડિયામાં રહેતા વેપારીએ કર્યો આપઘાત, મૂડી પરત કરી દીધી હોવા છતાં વધુ વ્યાજ માંગી પજવણી કરાતા પગલું ભર્યું

દુઃખદ / વ્યાજખોરોના ત્રાસથી વધુ એક આત્મહત્યા! ઘાટલોડિયામાં રહેતા વેપારીએ કર્યો આપઘાત, મૂડી પરત કરી દીધી હોવા છતાં વધુ વ્યાજ માંગી પજવણી કરાતા પગલું ભર્યું

Our Visitor

562922
Total Users : 562922
Total views : 564640

દુઃખદ / વ્યાજખોરોના ત્રાસથી વધુ એક આત્મહત્યા! ઘાટલોડિયામાં રહેતા વેપારીએ કર્યો આપઘાત, મૂડી પરત કરી દીધી હોવા છતાં વધુ વ્યાજ માંગી પજવણી કરાતા પગલું ભર્યું

અહેવાલ – રીતેશ પરમાર

અમદાવાદના ઘાટલોડીયામાં રહેતા અને શેરમાર્કેટ તથા હીરા દલાલી નો વેપાર કરતા વેપારી પર 4 લાખ વ્યાજ પર લીધા હતા, વ્યાજખોરે વેપારીને અવારનવાર ત્રાસ અપાતા વેપારીએ આપઘાત કરી લીધો. ગુજરાતમાં વ્યાજખોરોના ત્રાસથી વધુ એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં એક શેર માર્કેટ અને હીરા દલાલી સાથે સંકળાયેલા વેપારીએ વ્યાજખોરના ત્રાસને કારણે આપઘાત કરી લીધો.

આ દુઃખદ ઘટના અતુલભાઈ લક્ષ્‍મીશંકર ભટ્ટ (65) નામક વેપારીની છે, જેઓ 2017માં જીવાભાઈ વાઘજી દેસાઈ પાસેથી 4 લાખ રૂપિયા ઉછીના લીધા હતા. 3 વર્ષ સુધી, અતુલભાઈએ વ્યાજખોરને પૈસા પરત આપ્યા હતા, પરંતુ પછી પણ તેમને સતત ઉઘરાણીનો સામનો કરવો પડયો રહ્યો હતો. અતુલભાઈએ 3 લાખ રૂપિયાની મૂડી પરત કરી હતી, પરંતુ વ્યાજખોરે ખરાબ દહેશતથી મિન માત્ર વ્યાજ બાકી હોવાનું દાવો કર્યો અને ઉઘરાણી કરવાની ધમકી આપી હતી. આ સતત ત્રાસ અને ધમકીઓથી કંટાળી, વેપારીએ આ અંતિમ પગલું ભર્યું હતું.. એક દિવસ વ્યાજખોર જીવાભાઈએ પોતાના ઘરે પહોંચીને અતુલભાઈ સાથે ઝઘડો કર્યો અને એમણે ધમકી આપી હતી કે, “તું મારા પૈસા પરત ન આપી શકે, તો તું ઝેર પી મરી જા.” આ દુઃખદ ઘટનાની જાણ થતા અતુલભાઈની પત્નીએ પોલીસમાં વ્યાજખોર સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે હવે આ મામલે તપાસ શરૂ કરી છે. ગુજરાતમાં વ્યાજખોરોના ત્રાસના કારણે લોકો આપઘાતના શિકાર બની રહ્યા છે, જે એક ગંભીર સમસ્યા બની રહી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
100 %
Surprise
Surprise
0 %

દુઃખદ / વ્યાજખોરોના ત્રાસથી વધુ એક આત્મહત્યા! ઘાટલોડિયામાં રહેતા વેપારીએ કર્યો આપઘાત, મૂડી પરત કરી દીધી હોવા છતાં વધુ વ્યાજ માંગી પજવણી કરાતા પગલું ભર્યું

Related posts

એસટી ગુજરાતની સલામત સવારી/ હાથ ઊંચો કરીને જાણે મોતને આમંત્રણ આપ્યું! 4 રાહદારીઓને મારી ટક્કર, એક બાળક સહીત ત્રણ ઈજાગ્રસ્ત, સદનસીબે તમામનો જીવ બચ્યો, જુઓ વિડીયો

Phone: 9998685264.

વાલીઓ માટે ધ્યાનરૂપ કિસ્સો: ૭ વર્ષનું બાળક ૧૪ ચુંબકીય મણકા ગળી ગયું અને અમદાવાદ સિવિલમાં કરાઈ ઐતિહાસિક સર્જરી

Phone: 9998685264.

પાલનપુર / ચા ની કીટલી ચલાવતી દિવ્યાંગ મહિલાની SP કચેરીમાં આત્મહત્યા કરી લેવાની ચીમકી, દીકરીના અપહરણની ફરીયાદને 2 મહિના થયા છતાં કોઈ ભાળ મળતી નથી

Phone: 9998685264.

Leave a Comment